Thursday, May 17, 2018

પીએમએલએ હેઠળ કરાયેલ કાર્યવાહી

- જપ્ત કરેલી જવેલરીમાં ૩૪,૦૦૦થી વધુ ઘરેણા : ઇડીની મની લોન્ડરિંગ તપાસ ચાલુ


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 17 મે, 2018, ગુરૂવાર
પંજાબ નેશનલ બેંકના ૧૩૦૦૦ કરોડ રૃપિયાના કૌભાંડના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ આજે મેહુલ ચોક્સીની માલિકીના ગિતાંજલી ગુ્રપની ૮૫ કરોડની જવેલરી જપ્ત કરી લીધી છે. આ જવેલર દુબઇથી ખરીદવામાં આવી હતી. જપ્ત કરેલી જવેલરીમાં ૩૪,૦૦૦ ઘરેણા સામેલ છે.
એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ દુબઇથી ખરીદવામાં આવેલી જવેલરી જપ્ત કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પીએનબી કૌભાંડમાં ઇડી નિરવ મોદી અને મેહુલ ચોકસીની તપાસ કરી રહ્યું છે. ઇડી ઉપરંત અન્ય એજન્સીઓ પણ નિરવ મોદી અને મેહુલ ચોક્સીની વિવિધ આરોપો હેઠળ તપાસ કરી રહ્યું છે.
પંજાબ નેશનલ બેંકની નિરવ મોદી અને મેહુલ ચોકસી વિરુદ્ધ ફરિયાદને આધારે વિવિધ તપાસ એજન્સીઓ બંનેની તપાસ કરી રહી છે. સીબીઆઇ અને ઇડીએ દરેક કેસમાં બે એફઆઇઆર દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ ચાલુ સપ્તાહમાં જ બે ચાર્જશીટ દાખલ કરી હતી.
ઇડી આ કેસમાં ફક્ત મની લોન્ડરિંગના જ આરોપોની તપાસ કરી રહ્યું છે. ક્રિમિનલ કેસ દાખલ થાય તે પહેલા જ મેહુલ ચોક્સી અને નિરવ મોદી વિદેશ ફરાર થઇ ગયા હતાં.

ગવર્નરના પગલા સામે સુપ્રીમમાં અરજી

- ગવર્નરે ભાજપનું સંખ્યાબળ વધારવાના ઇરાદાથી ગેરકાનુની નોમિનેશન કર્યાનો કોંગ્રેસનો દાવો


નવી દિલ્હી, તા. 17 મે, 2018, ગુરૂવાર
કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાએ વિધાનસભામાં એંગ્લો- ઇન્ડિયન સભ્યને નોમિનેટ કરતાં કોંગ્રેસ અને જે.ડી. એસે તેનો વિરોધ કરીને સુપ્રીમમાં આ નોમિનેશનને રોકવા અરજી કરી હતી. આજે બપોરે દાખલ થયેલી આ અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટ શુક્રવારે કોંગ્રેસની મુખ્ય પિટિશનની સાથે કરશે.
કોંગ્રેસ- જે.ડી. (એસ)એ માંગણી કરી હતી કે, ગવર્નર દ્વારા કરાતી એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક નવી સરકાર વિશ્વાસનો મત મેળવે ત્યાં સુધી રોકવામાં આવે. આ અરજી ગુરૃવારે રાત્રે ઐતિહાસિક સુનાવણી કરનાર ત્રણ જજ સિકરી, બોબડે અને ભૂષણની બેન્ચ સંભાળશે. ઓલ ઇન્ડિયા એંગ્લો ઇન્ડિયન યેલોસી એનાને ગવર્નરને પત્ર લખીને જણાવ્યું કે, તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરી રાજકીય લાભ લેવો નહીં.
અરજી કરનાર વકીલ દેવદત્ત કામઠે જણાવ્યું હતું કે રાજકીય મહત્ત્વકાંક્ષા પૂરી કરવા માટે ગવર્નરની ઓફિસનો આવો મલિન ઇરાદાવાળો ઉપયોગ થવા દેવાય નહીં. ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભામાં ૨૨૪ બેઠકો છે. જે પૈકી ૨૨૨ પર ચૂંટણી થઈ હતી એક એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક થાય તો સંક્યાબળ ૨૨૫ બને અને તેનો લાભ ભાજપને મળે.
કોંગ્રેસ જે.ડી. એસે જણાવ્યું હતું કે ભાજપનું સંખ્યાબળ વધારવા આવી ગેરકાનુની પ્રયાસ ચલાવી લેવાય નહીં. બંધારણના આર્ટિકલ ૩૩૩ મુજબ ગવર્નર કોઈ પણ એવો નિર્ણય લઈ શકે નહિ કે વિશ્વાસ સંપાદન કરનારા મુખ્યમંત્રીને મદદરૃપ થઈ શકે.

કોંગ્રેસે વડાપ્રધાન મોદીને ૨૦૧૧ની સ્થિતિ યાદ કરાવી

- મોદીએ ૨૦૧૧માં કર્ણાટકના રાજ્યપાલને નિર્ણય બદલવા અપીલ કરી હતી


(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 17 મે, 2018, ગુરૂવાર
કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે યેદિયુરપ્પાએ શપથ લઈ લીધા હોવા છતાં કોંગ્રેસ અને જેડી-એસના સભ્યોએ રાજ્યપાલ વજુભાઇ વાળા સમક્ષ તમામ પક્ષોને ફરી એકવાર બોલાવવાની માગ કરી હતી. વિપક્ષોએ કહ્યું હતું કે, કર્ણાટકના રાજ્યપાલે તેમનો નિર્ણય ફેરબદલ કરવો જોઈએ.
કોંગ્રેસે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ૧૯મી મે, ૨૦૧૧ના રોજ ટ્વિટ કરીને કર્ણાટકના રાજ્યપાલ સમક્ષ 'રિકૉલ'ની માગ કરી હતી. અમે પણ મોદીની વાત સાથે સંમત છીએ. એ વખતે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને અરજ કરીને અપીલ કરી હતી કે, કર્ણાટકના રાજ્યપાલે લોકતાંત્રિક માળખા પર કુઠારાઘાત કર્યો છે. તેમણે બહુમતી સાબિત કરવા પક્ષોને ફરી વાર બોલાવવા જોઈએ.
વર્ષ ૨૦૧૧માં કર્ણાટકના રાજ્યપાલ એચ. આર. ભારદ્વાજ હતા. ભાજપે તેમના પર આરોપ મૂક્યો હતો કે, રાજ્યપાલ દ્વારા ભાજપ સરકારના સભ્યોની હેરાનગતિ કરાઈ રહી છે

યેદિયુરપ્પાના શપથ પછી રાહુલે મોદીની ટીકા કરી

- ન્યાયતંત્ર, પ્રેસ ભયભીત છે અને ખુદ ભાજપના સાંસદો પણ પીએમ વિરુદ્ધ બોલતા ડરે છે


(પીટીઆઇ) રાયપુર, તા. 17 મે, 2018, ગુરૂવાર
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ અંગે ટિપ્પણી કરતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે સરમુખ્ત્યારના શાસન હેઠળ પાકિસ્તાનની જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ હાલમાં ભારતની થઇ ગઇ છે.
એક કાર્યક્રમને સંબોધતા દેશમાં હાલમાં ભયનું વાતાવરણ છે. ન્યાયતંત્ર અને પ્રેસને ધમકાવવામાં આવી રહ્યાં છે અને બંધારણ ઉપર પણ તીવ્ર હુમલા કરવામાં આવી રહ્યાં છે. યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા પછી રાહુલ ગાંધીએ આ ટિપ્પણી કરી હતી.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે દેશમાં બંધારણને પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે. કર્ણાટકમાં ધારાસભ્યો એક બાજુ છે અને રાજ્યપાલ બીજી બાજુ છે. ધારાસભ્યોને કરોડો રૃપિયામાં ખરીદવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જેડી(એસ)ના એક નેતાએ જણન્યું છે કે ભાજપ જેડીએસના ધારાસભ્યોને તોેડવા માટે ૧૦૦ કરોડ રૃપિયાનું ઓફર કરી રહ્યું છે.
રાહુલે જણાવ્યું હતું કે દેશમાં એક પછી એક તમામ લોકશાહી સંસ્થામાં આરએસએસ પોતાના લોકોની નિમણૂક કરે છે. દેશનું ન્યાયતંત્ર ભયભીત છે, પ્રેસના લોકો ભયભીત છે. આટલું ્છું હોય તેમ ખુદ ભાજપના સાંસદો પણ વડાપ્રધાન વિરુદ્ધ એક પણ શબ્દ બોલતા ડરે છે. આવી સ્થિતિ એવા જ દેશોમાં જોવા મળે છે જ્યાં સમુખ્ત્યારનું શાસન હોય છે.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે પંજાબ નેશનલ બેંકના મુખ્ય આરોપી નિરવ મોદીને ઘણા સમયથી જાણતા હતાં પણ જ્યારે તે ખેડૂતોના નાણા લઇને વિદેશ ભાગી ગયો ત્યારે તે ચૂપ રહ્યા હતાં.

કોંગ્રેસની અરજી મુદ્દે સુપ્રીમમાં રાત્રે ૨:૧૧થી ૫:૧૧ સુધી 'હાઈ વોલ્ટેજ' સુનવણી

- નવા ચૂંટાયેલા ધારાસભ્યો શપથ ના લે ત્યાં સુધી પક્ષપલટાનો કાયદો લાગુ ના પડે એવા એટર્ની જનરલ કે. કે.


કોંગ્રેસના ગઠબંધન પાસે ૧૧૬ અને ભાજપ પાસે ૧૦૪ બેઠક છે તો યેદિયુરપ્પા કેવી રીતે બહુમતી મેળવશે : સુપ્રીમને પણ આશ્ચર્ય
હોર્સ ટ્રેડિંગ ના થાય ત્યાં સુધી ભાજપ બહુમતી સાબિત ના કરી શકે, આ કેસને પક્ષપલટા વિરોધી કાયદાની નજરે જોવામાં આવે : સિંઘવી

નવી દિલ્હી, તા. 17 મે, 2018, ગુરૂવાર
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પછી સતત નાટયાત્મક ઘટનાઓ બની રહી છે. આ મુદ્દે કોંગ્રેસની સુપ્રીમ કોર્ટમાં અરજીની સુનવણી વખતે જજોે ભલે યેદિયુરપ્પાને શપથગ્રહણ કરતા રોક્યા નહીં, પરંતુ ભાજપે આપેલા તર્કોથી પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો ખાસ સંતુષ્ટ ન હતા.
રાત્રે ૧:૪૫ વાગ્યે સુપ્રીમના દ્વાર ખૂલ્યા
કોંગ્રેસ બુધવારે ૧:૪૫ વાગ્યે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ત્યારે આ કેસની સુનવણી જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ અર્જન કુમાર સિકરી અને જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ શરૃ કરી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા, એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે રજૂઆતો કરી હતી. ભાજપ વતી પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી હાજર રહ્યા હતા, જ્યારે કોંગ્રેસે વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીને મેદાનમાં ઉતાર્યા હતા.
પક્ષપલટા કાયદા મુદ્દે બંને પક્ષે દલીલો
સુપ્રીમમાં મધરાત્રે ૨:૧૧ વાગ્યાથી પરોઢિયે ૫:૨૮ સુધી આશરે ત્રણ કલાક હાઇ વૉલ્ટેજ સુનવણી ચાલી હતી. આ દરમિયાન કેન્દ્રના વકીલોએ તર્ક આપ્યો હતો કે, કર્ણાટકમાં ભાજપ રાજ્યપાલે આપેલી ૧૫ દિવસની સમયમર્યાદામાં બહુમતી સાબિત કરી દેશે. એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે રજૂઆત કરી હતી કે, એવું જરૃર નથી કે કર્ણાટકમાં ધારાસભ્યોનો પક્ષપલટો થશે જ. એક પક્ષનો સભ્ય બીજા પક્ષમાં જાય ત્યારે પક્ષપલટાનો કેસ બને, પરંતુ ચૂંટાયેલા સભ્યો શપથ ના લે ત્યાં સુધી તેમના પર પક્ષપલટાનો કાયદો લાગુ ના પડે. પક્ષપલટા વિરોધી કાયદો નવા ચંૂટાયેલા ધારાસભ્યોને લાગુ ના પડી શકે કારણ કે, તેમણે હજુ સુધી શપથ લીધા જ નથી.
સુપ્રીમે આ તર્કને 'બકવાસ' ગણાવતા કહ્યું હતું કે, તેનો અર્થ એ છે કે તમે ધારાસભ્યોની ખરીદફરોતને ખુલ્લેઆમ આમંત્રણ આપી રહ્યા છો. ત્યાર પછી કોંગ્રેસ અને જેડી-એસ વતી રજૂઆત કરતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, ધારાસભ્યોની ખરીદફરોતને પ્રોત્સાહન ના મળે ત્યાં સુધી ભાજપ બહુમતી સાબિત કરી શકે એમ નથી. સુપ્રીમે પણ કહ્યું હતું કે, આ કેસને પક્ષપલટા વિરોધી કાયદા પ્રમાણે જોવામાં આવશે.
સિંઘવીએ કહ્યું 'જસ્ટિસ નેવર સ્લિપ'
જોકે, બંને પક્ષની દલીલો સાંભળીને સુપ્રીમે યેદિયુરપ્પાની શપથવિધિ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ સરકારના વકીલોના વિવિધ તર્ક મુદ્દે પણ તેમણે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ભાજપે બહુમતી માટે ૧૧૨નો આંકડો કેવી રીતે મળશે એ વિશે પણ સુપ્રીમે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ત્યાર પછી સુપ્રીમે કહ્યું હતું કે, યેદિયુરપ્પાએ બહુમતી સાબિત કરવા રાજ્યપાલને સોંપેલી ધારાસભ્યોની યાદી અમે જોઈ નથી, જે કોર્ટમાં રજૂ કરવામાં આવે. આ ઉપરાંત આવતીકાલે ૧૦:૩૦ વાગ્યે યેદિયુરપ્પા કોંગ્રેસ અને જેડી-એસની અરજી મુદ્દે જવાબ આપે.
આ અંગે સિંઘવીએ કહ્યું હતું કે, રાજ્યપાલ લોકતંત્રનો અસ્વીકાર કેવી રીતે કરી શકે? ભાજપ પાસે ૧૦૪ બેઠક છે, જ્યારે કોંગ્રેસ અને જેડી-એસ પાસે ૧૧૬. કોમન સેન્સની વાત છે કે, કઇ સંખ્યા મોટી છે. આ ઉપરાંત અડધી રાત્રે ધીરજપૂર્વક સુનવણી કરવા બદલ સુપ્રીમના ન્યાયાધીશોનો આભાર માનતા સિંઘવીએ કહ્યું હતું કે, જસ્ટિસ નેવર સ્લિપ

કોંગ્રેસના લિંગાયત ધારાસભ્યો જેડીએસ જોડે ગઠબંધનથી નારાજ

- જેડીએસના કુમારસ્વામી વોકાલિગાસ જાતિના હોઇ લિંગાયત ધારાસભ્યો તેમને મુખ્યમંત્રી બનાવવા સાથ ના પણ આપે


બેંગ્લોર, તા. 17 મે, 2018, ગુરૂવાર
કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે આજે શપથ લીધા પછી યેદીયુરપ્પા સામે સૌથી મોટો પ્રતિષ્ઠા પડકાર બહુમતિ પુરવાર કરવાનો છે. રાજ્યપાલ વજુભાઇ વાળાએ ૧૫ દિવસનો સમય આપ્યો છે. પણ મુદ્દત દેખીતી રીતે જ ભાજપવાળા વચ્ચે ફિક્સીંગના પૂરાવા સમાન લાગતી હોઇ યેદીયુરપ્પાએ વિવાદને થોડો ઠંડો પાડતા મનોદબાણ હેઠળ એવી પ્રતિક્રિયા આપી છે કે તે ૧૫ દિવસ પહેલા બહુમતિ પુરવાર કરશે.
કોંગ્રેસના નેતાઓ, રાજકીય વિશ્લેષકો અને આ નૌટંકીને આતુરતાથી માણી રહેલા દેશના નાગરિકોને પણ એ ઇંતેજારી છે કે યેદીયુરપ્પા બહુમતિ માટે ખૂટતા ઓછામાં ઓછા આઠ ધારાસભ્યોને કઇ રીતે લાવશે. કોંગ્રેસ અને જેડીએસ તેના ૧૧૬ ધારાસભ્યોને નજરકેદની જેમ બેંગ્લોર અને કોચીના રીસોર્ટમાં લઇ ગયા છે. જેમાંથી ચારેકનો કોઇ પત્તો નથી તેવા બિનસત્તાવાર અહેવાલ છે. જેમાં પૂરી સત્યતા હોઇ શકે.
અંતરંગ વર્તુળોમાંથી એવું મનાય છે કે યેદીયુરપ્પા કે જેઓ પોતે લિંગાયત જાતિના છે તેમને કોંગ્રેસના ૮ થી ૧૨ લિંગાયત વિજેતા ધારાસભ્યોનો ટેકો મળી શકે છે. કોંગ્રેસે લિંગાયતને ચૂંટણી પૂર્વે લઘુમતિનો દરજ્જો આપવાની સોગઠી લગાવી પછી તેઓની વફાદારી આ ધારાસભ્યોએ બતાવી હતી અને ટિકિટ મેળવી અને જીત પણ હાંસલ કરી હતી.
આ લિંગાયત કોંગ્રેસી ધારાસભ્યો કોંગ્રેસે તેમના કરતા ઘણી ઓછી બેઠકો ધરાવતા જેડીએસ જોડે ગઠબંધન કર્યું તેની સામે તો નારાજ છે જ પણ મુખ્યમંત્રી તરીકે જેડીએસના કુમારસ્વામી કે જેઓ વોમલિંગ જાતિના છે તેને તો હરગીઝ ચલાવી શકે તેમ નથી તેમ કહી શકાય. જેડીએસ વોકલિંગા જાતિના ઉમેદવારો અને મતદારોથી પ્રભાવિત પક્ષ છે. લિંગાયત હંમેશા વોકાલિંગાની સામેના મોરચે હોય છે. ભાજપ જોડે જ આ વખતે મહત્તમ લિંગાયત મતો રહ્યા હોઇ લિંગાયતના કોંગી ધારાસભ્યો પર દબાણ પણ રહેશે.
લિંગાયતના ધારાસભ્યોનો વોકાલિંગા ઉમેદવારને મુખ્ય પ્રધાન બનાવવામાં સાથ આપે તો તેઓની રાજકીય કારકિર્દી ખતરામાં મૂકાઇ જાય તેમ છે. યેદીયુરપ્પા શામ, દામ, દંડ અને ભેદ ઉપરાંત આ જાતિ કાર્ડ પણ લિંગાયત ધારાસભ્યો પર ઉપયોગમાં લેશે તેમ ચર્ચાય છે.

- પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાની કોઇ સંભાવના નથી

- કર્ણાટકની ચૂંટણી વખતે ભાવ વધારો ન કરાતા થયેલા નુકસાનને ભરપાઇ કરવા રૃ. ચારનો વધારો જરૃરી


હાલમાં દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ રૃ. ૭૬ અને મુંબઇમાં રૃ. ૮૩થી વધુ
(પીટીઆઇ) લંડન, તા. 17 મે, 2018, ગુરૂવાર
આંતરરાષ્ટ્રીય સ્તરે ૨૦૧૪ પછી પ્રથમ વખત બ્રેન્ટ ઓઇલ  ૮૦ ડોલરને પાર થઇ ગયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલના ભાવ વધતા ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધુ વધવાની શક્યતા છે. આ દરમિયાન ભારતમાં ટૂંક સમયમાં પેટ્રોલના ભાવમાં ચાર રૃપિયાનો વધારો થવાની શક્યતા છે. જેના પગલે ગુજરાતમાંપેટ્રોલનો ભાવ લિટરે ૮૦ રૃ. જેટલો થઇ જવાની પુરી શક્યતા છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઇ ગયા પછી સરકારી ઓઇલ કંપનીઓએ સોમવારથી ભાવ વધારવાના ચાલુ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીને પગલે ઓઇલ કંપનીઓએ ૧૯ દિવસ સુધી ભાવ વધાર્યા નથી. જો કંપનીઓ આ ૧૯ દિવસમાં થયેલા નુકસાનને ભરપાઇ કરવાનો નિર્ણય લેશે તો પેટ્રોલના ભાવમાં હજુ પણ ચાર રૃપિયાનો વધારો થવાની શક્યતા છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પરમાણુ સમજૂતીમાંથી અમેરિકાને પરત ખેચવાનો નિર્ણય  લેતા આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યાં છે. આજે સવારે એક બેરલ બ્રેન્ટ ઓઇલનો ભાવ ૭૯.૭૯ ડોલર હતો જે ગઇકાલની સરખામણીમાં ૫૧ સેન્ટ વધુ હતો.
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા અનુસાર વેનેઝુએલામાં પણ ઓઇલનું ઉત્પાદન ઓછું થતા ઓઇલના ભાવ વધી રહ્યાં છે.  આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ બપોરે ૩.૩૦ વાગ્યે ૮૦.૧૪ ડોલર થઇ ગયો હતો. બીજી તરફ યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ(ડબ્લ્યુટીઆઇ) ક્રૂડનો ભાવ પણ વધીને ૭૨.૩૦ ડોેલર થઇ ગયો છે.
ઇરાન પરમાણુ સમજૂતીમાંથી અમેરિકાના ખસી જવાના કારણે ઇરાન ઓઇલનું ઉત્પાદન ઘટાડી શકે છે જેના કારણે ઓઇલના ભાવ વધી રહ્યાં છે. હાલમાં ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૭૫.૩૨ રૃપિયા છે. લગભગ ૫૬ મહિના પહેલા દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૭૬.૩૨ રૃપિયા હતો. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૮૩.૧૬ રૃપિયા થઇ ગયો છે

વહેલી પરોઢે સુપ્રીમે સ્ટે ન આપતાં યેદિયુરપ્પાની 'કર-નાટક'ના મુખ્યમંત્રી પદે શપથવિધિ

- બહુમતી માટે ભાજપને વધુ આઠ સભ્યની જરૃર છે, આજે સુપ્રીમમાં એ ખૂટતાં આઠ નામ મોદી-શાહ કયા જાદુથી લાવશે


અનિશ્ચિત ભાવિ વચ્ચે યેદિયુરપ્પાએ કહ્યું 'રાજ્યપાલે અમને ૧૫ દિવસ આપ્યા છે, પરંતુ એ પહેલાં અમે બહુમતી સાબિત કરીને પાંચ વર્ષ પણ પૂરા કરીશું'
ખેડૂતોના દેવા માફીની યેદિયુરપ્પાની  જાહેરાત, ચાર આઈપીએસની બદલી
૭૫ વર્ષીય યેદિયુરપ્પા અગાઉ બે વાર તેઓ કાર્યકાળ પૂરો કરી શક્યા નથી

બેંગાલુરુ, તા. 17 મે, 2018, ગુરૂવાર
કર્ણાટકમાં ભારે નાટકબાજી પછી ભાજપના ઉમેદવાર બી.એસ. યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લઇ લીધા છે. આ સાથે જ ૭૫ વર્ષીય યેદિયુરપ્પા ત્રીજી વાર કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા છે. કોંગ્રેસ અને જેડી-એસના વિરોધ અને ધારાસભ્યોની ખરીદફરોતના આરોપો વચ્ચે ભાજપે પોતાના ધારાસભ્યોને રિસોર્ટ, હોટેલમાં કેદ કરી લીધા છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ જેડીએસની અરજી કાઢી નાખવાનો ઇનકાર કરતાં વધુ સુનાવણી શુક્રવારે ઠેરવી હતી અને પક્ષકાર ભાજપ તેમજ યેદિયુરપ્પાને પોતાના જવાબ આપવા ઉપસ્થિત રહેવા આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે યુદિયુરપ્પાએ ગવર્નરને સોંપેલો તેના પક્ષનું સંખ્યાબળ દર્શાવતો પત્ર રજૂ કરવા આદેશ કર્યો હતો.
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ વિવાદાસ્પદ રીતે સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. રાજ્યપાલના આ પગલાંનો વિરોધ કરવા કોંગ્રેસ અને જેડી-એસના સભ્યોએ ગઇ મોડી રાત્રે સુપ્રીમ કોર્ટમાં ધા નાંખી હતી. એ પછી પણ વિપક્ષો યેદિયુરપ્પાને શપથ લેતા રોકી શક્યા ન હતા. જોકે, કોંગ્રેસ અને જેડી-એસની કાયદાકીય લડાઇ ચાલુ હોવાથી યેદિયુરપ્પા કેટલો સમય કર્ણાટકના મુખ્યમંત્રીપદે રહી શકશે એ અનિશ્ચિત છે. કદાચ એટલે જ કર્ણાટકમાં ફક્ત યેદિયુરપ્પાએ જ શપથ લીધા છે.
યેદિયુરપ્પાએ કર્ણાટક રાજભવનમાં ભગવાન અને ખેડૂતોના નામે શપથ લીધા હતા. આ દરમિયાન રાજભવનમાં ભાજપના કાર્યકરોએ 'મોદી, મોદી'ના નારા લગાવ્યા હતા. સામાન્ય રીતે કોઈ પણ શપથગ્રહણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ હાજરી આપે છે, પરંતુ યેદિયુરપ્પાની શપથવિધિ વખતે આ બંને નેતાઓએ હાજરી આપી ન હતી. આ દરમિયાન કેન્દ્રિય મંત્રીઓ પ્રકાશ જાવડેકર અને અનંત કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી બનતા જ યેદિયુરપ્પાએ ખેડૂતોના દેવા માફ કર્યા હતા. એટલું જ નહીં, તેમણે ચાર આઈપીએસની બદલી કરવાનો પણ મહત્ત્વનો નિર્ણય લીધો હતો.
રાજ્યપાલે ભાજપને બહુમતી સાબિત કરવા ૧૫ દિવસનો સમય આપ્યો છે. રાજ્યપાલના આ નિર્ણયની પણ વિપક્ષો ભારે ટીકા કરી રહ્યા છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૨૨૨માંથી ૧૦૪, કોંગ્રેેસે ૭૮ અને જેડી-એસએ ૩૭ બેઠક પર બેઠક પર જીત મેળવી છે. ભાજપને બહુમતી સાબિત કરવા ફક્ત આઠ બેઠક ખૂટે છે. આમ છતાં, યેદિયુરપ્પાએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે, અમારે બહુમતી સાબિત કરવા ૧૫ દિવસની જરૃર નથી. અમે એ પહેલાં બહુમતી સાબિત કરીને પાંચ વર્ષ પૂરા કરીશું. કર્ણાટકમાં ફક્ત સત્તા મેળવવા માટે કોંગ્રેસ અને જેડી-એસએ અપવિત્ર ગઠબંધન કર્યું છે.
નોંધનીય છે કે, યેદિયુરપ્પા નવેમ્બર ૨૦૦૭માં પહેલીવાર કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ જેડી-એસએ ટેકો પાછો ખેંચી લેતા તેઓ ફક્ત સાત દિવસ સત્તામાં રહી શક્યા હતા. ત્યાર પછી તેઓ મે ૨૦૦૮માં મુખ્યમંત્રી બન્યા હતા અને લોકાયુક્ત એ. સંતોષ હેગડેએ ગેરકાયદે ખાણકામ કેસમાં તેમને મુખ્યમંત્રીપદે ગેરલાયક ઠેરવ્યા હતા. આમ, યેદિયુરપ્પા એક પણ વાર કર્ણાટકમાં કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.

યેદિયુરપ્પા કર્ણાટકના એક દિવસના મુખ્યમંત્રી છે: સૂરજેવાલા

- પક્ષપલટા કાયદો મોજુદ હોવાથી ભાજપ માટે બહુમતી સાબિત કરવી અશક્ય : ગેહલોત


નવી દિલ્હી, તા. 17 મે, 2018, ગુરૂવાર
યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેતા જ કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે જાહેરાત કરી છે કે, આવતીકાલે અમે દેશભરમાં દેખાવો કરીને 'બંધારણ બચાવો દિવસ'ની મનાવીશું. કોંગ્રેસે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહમાં તાકાત હોય તો આવતીકાલે બહુમતી સાબિત કરી બતાવે.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે, ભાજપે લોકશાહીના ધજિયા ઉડાવ્યા છે અને બંધારણને કચડી નાંખ્યું છે. યેદિયુરપ્પા ફક્ત એક દિવસના મુખ્યમંત્રી છે કારણ કે, તેમની પાસે બહુમતી નથી. સુપ્રીમનો ચુકાદો આવતા જ તેમને પદભ્રષ્ટ કરાશે. રાજ્યપાલે ગેરકાયદે નિર્ણય લીધો હોવાથી અમે ૧૮મી મેના રોજ કોંગ્રેસના પંચાયત સ્તરથી રાષ્ટ્રીય સ્તરના કાર્યાલયોમાં 'બંધારણ બચાવો દિવસ'નું આયોજન કરીને ભાજપની નીતિરીતિનો વિરોધ કરીશું. સૌથી મોટા પક્ષને જ સરકાર રચવાનું આમંત્રણ આપી શકાય તો ગોવા, બિહાર અને મેઘાલયમાં પણ ભાજપની સરકાર ભંગ કરીને કોંગ્રેસની સરકાર રચવી જોઈએ.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે પણ કહ્યું હતું કે, દેશમાં હજુ પક્ષપલટા વિરોધી કાયદો મોજુદ છે. આ કાયદો હોવાથી ભાજપ બહુમતી સાબિત કરી શકે એવી કોઈ શક્યતા જ નથી. ભાજપે કર્ણાટકમાં રાજભવનનો મોભો ઘટાડી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં અમારી તરફેણમાં નિર્ણય આવશે એ વાતમાં કોઈ શંકા નથી. યેદિયુરપ્પા પાછલા બારણેથી મુખ્યમંત્રીપદે ગોઠવાયા છે. એટલે જ વડાપ્રધાન કે અમિત શાહે શપથવિધિમાં હાજરી આપી ન હતી

- પક્ષપલટાને કાબૂમાં રાખવા એંશીના દાયકામાં બંધારણીય સુધારા કરાયા હતા

- ૨૦૦૩માં બંધારણીય સુધારો કરીને પક્ષપલટા વિરોધી કાયદામાં બે તૃતિયાંશ સભ્યોની સંમતિથી સામૂહિક પક્ષપલટ


અમદાવાદ, તા. 17 મે, 2018, ગુરૂવાર
યેદિયુરપ્પાએ બહુમતી સાબિત કરવાના વિશ્વાસ સાથે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લઇ લીધા છે. રાજ્યપાલ વજુભાઇ વાળાએ ભાજપને બહુમતી સાબિત કરવા ૧૫ દિવસનો સમય આપ્યો છે. બીજી તરફ,  કોંગ્રેસ અને જેડી-એસ પણ ગઠબંધન કરીને ૧૧૬ બેઠકના આંકડા પર પહોંચી ગયા છે.
આ સ્થિતિમાં કોંગ્રેસ અને જેડી-એસએ સુપ્રીમ કોર્ટમાં ધા નાંખી છે, પરંતુ ભાજપે બહુમતી સાબિત કરવાનો દાવો કર્યો છે તેનો અર્થ એ છે કે, કોંગ્રેસ કે જેડી-એસના સભ્યો પક્ષપલટો કરી શકે છે. હવે મુશ્કેલી એ છે કે, ભારતના રાજકારણનો ઇતિહાસ પક્ષપલટુઓથી બદનામ છે. એટલે જ ૧૯૮૦માં પક્ષપલટાને અટકાવવા સંસદે બંધારણમાં ૫૨મું સંશોધન કરીને દસમી અનુસૂચિ ઉમેરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ત્યાર પછી ૧૯૮૫માં દસમી અનુસૂચિમાં એન્ટિ ડિફેક્શન લૉ (પક્ષપલટા વિરોધી કાયદો) ઉમેરાયો હતો. જોકે એ પછી પણ પક્ષપલટો કાબૂમાં નહીં રહેતા તેમાં વધુ સંશોધનો કરાયા અને ૨૦૦૩માં એવું ઠરાવાયું કે, કોઈ એક વ્યક્તિ નહીં પણ સામૂહિક રીતે પક્ષ બદલવાની પ્રક્રિયા પણ ગેરબંધારણીય રહેશે. આ ઉપરાંત સંશોધન વખતે કલમ ત્રણને પણ ખતમ કરાઈ, જે અંતર્ગત એક તૃતિયાંશ સભ્યોને લઇને પક્ષપલટાને કાયદેસરનો ગણાવવામાં આવ્યો હતો. જોકે, અત્યારના કાયદા પ્રમાણે બે તૃતિયાંશ સભ્યોની સહમતિ જરૃરી છે

Thursday, May 3, 2018

હાયરે! આ મોદી સરકારે મારો લાલ કિલ્લો વેંચી નાખ્યો રે…

લાલ કિલ્લો તો નહીં પરંતુ ઘણીબધી બોલિવુડ ફિલ્મોમાં તાજ મહાલને વેંચી નાખી અને રોકડી કરતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે. આ મામલે ‘બાપ નંબરી બેટા દસ નંબરી’ અને ‘બંટી ઔર બબલી’ આ બંને ફિલ્મો તરત યાદ આવી જાય. ખૈર! આ તો થઇ ફિલ્મની વાત અને એમાં બધું ચાલે પણ છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં દેશના વડાપ્રધાન દરેક સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રને જ્યાંથી સંબોધન કરે છે તે લાલ કિલ્લો દાલમિયા ગ્રુપને વેંચી નાખ્યો હોવાની ખબર ગરમ થઇ છે એના પર જરા સિરિયસ નજર નાખવાની જરૂર છે.


Photo Courtesy: flicr.com
જ્યારે તમે એમ વાંચો કે લાલ કિલ્લો, તાજમહાલ, કુતુબ મીનાર કે પછી જોધપુર ફોર્ટ આ બધું વેંચાઈ ગયું ત્યારે તમે તેને સાચું માની લો કે પછી ગુગલ મહારાજની મદદ લઈને થોડી તપાસ કરો? ભારત દેશના જાગૃત નાગરિક તરીકે કદાચ તમે બીજો વિકલ્પ પહેલા પસંદ કરો બરોબરને? પરંતુ આ દેશનો વિપક્ષ કદાચ એવું નથી માનતો ઉલટું તે તો એમ માને છે કે દેશનો સરેરાશ નાગરિક અક્કલ વિનાનો છે અને અમે તેને જે કહીશું તે એ તરતજ માની લેશે.

લાલ કિલ્લો દાલમિયા ગ્રુપને વેંચાઈ ગયો છે એવા સમાચાર મળતા જ આપણા જેવા ઘણાબધા જાગૃત નાગરિકોએ ખાંખાખોળા કરવાનું શરુ કરી દીધું અને પછી જે પરિણામ જોવા મળ્યું તેનાથી ફરીથી સાબિત થઇ ગયું કે દેશનો વિપક્ષ મોદી સરકારના કોઇપણ સારા (કે ખરાબ) કાર્યનો વિરોધ માત્ર વિરોધ કરવા માટે જ કરે છે, પછી તેની પાછળ આપણા શંકરસિંહ બાપુની ફેવરીટ પ્રવૃત્તિ એટલેકે હોમવર્ક કરવાની કોઈજ જરૂરિયાત તેને લાગતી નથી.

વિપક્ષોનો દાવ ક્યાં ઉલટો પડ્યો એ જોઈએ તે પહેલાં આ આખોય મામલો શું છે તેના વિષે માહિતી લઇ લઈએ.

દેશની તમામ ઐતિહાસિક ધરોહરોની રક્ષા કરવાનું અને તેને મેન્ટેઈન કરવાની જવાબદારી આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા એટલેકે ASI ની છે. હવે એક તો આ ASI સરકારી ખાતું એટલે એની કામ કરવાની ગતિ તો મંથર હોય જ ઉપરાંત ભંડોળની કમી તેને સતત સાલતી રહેતી હોય છે આવામાં દેશના ઐતિહાસિક સ્મારકોની દેખરેખ સારી રીતે થાય એવી અપેક્ષા કેમ રાખી શકાય? જો કે આમ થવું એ બહાનું ન હોઈ શકે પણ આ હકીકતથી ઇનકાર પણ થઇ શકે તેમ નથી. આથી કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય અને ASIએ જેમ વિશ્વના અન્ય દેશોમાં ચાલે છે એમ આપણા દેશના કોર્પોરેટ્સ તેમની સામાજિક જવાબદારી અંતર્ગત દેશના આ ઐતિહાસિક સ્મારકોને દત્તક લે અને તેની સારસંભાળ રાખે એવો ‘Adopt a Heritage’ ના નામે પ્રસ્તાવ મુક્યો.

તમને ગમશે: શુભકાર્ય અગાઉ દહીં-સાકર ખાવા પાછળનું વૈજ્ઞાનિક કારણ

ઉપરોક્ત પ્રસ્તાવ હેઠળ લાલ કિલ્લો એવી પ્રથમ ધરોહર બન્યો જેની સંભાળ લેવાની જવાબદારી દેશના અગ્રણી ઔધોગિક જૂથ દાલમિયા ગ્રુપે લીધી. દાલમિયા ગ્રુપ આવનારા પાંચ વર્ષોમાં દર વર્ષે પાંચ કરોડ રૂપિયા લાલ કિલ્લાના રખરખાવ માટે ખર્ચ કરશે. અહીં એ વાત જરૂર નોંધવા જેવી છે કે સરકારે દાલમિયા ગ્રુપને તેના આ કાર્યના બદલામાં એક પૈસો પણ પરત આપવાનો નથી.

હવે દાલમિયા ગ્રુપને અચાનક જ એવું જ્ઞાન ક્યાંથી લાધ્યું કે તેણે લાલ કિલ્લો દત્તક લઇ લીધો અને તેની પાછળ દર વર્ષે પાંચ કરોડ જેવી માતબર રકમ પણ ખર્ચી નાખવાનો નિર્ણય લઇ લીધો? આવો સવાલ કોઈના પણ મનમાં આવે. તો વિશ્વમાં Corporate Social Responsibility એટલેકે CSR નામની એક પ્રથા વ્યાપ્ત છે. આ પ્રથાનો મતલબ એવો છે કે તમે તમારી કમાણી સમાજના વિવિધ હિસ્સામાંથી ભેગી કરો છો તો તેનો એક અંશ તમારે સમાજને પરત કરવો એ તમારી સામાજિક જવાબદારી બની જાય છે. બિલકુલ, મહાત્મા ગાંધીના Trusteeship ના સિદ્ધાંત જેવુંજ.

તો આ CSRની પ્રથા હેઠળ જ દાલમિયા ગ્રુપે લાલ કિલ્લો દત્તક લીધો છે નહીં કે તેને રૂપિયા 25 કરોડમાં ખરીદી લીધો છે એ અંગે હવે આપણા બધાનું મન સ્પષ્ટ થઇ ગયું હોવું જોઈએ. દાલમિયા ગ્રુપ એક વ્યાપારી ગ્રુપ છે અને કોઇપણ વ્યાપારી લાભ વગર તો કોઈ સેવા ન કરે? રાઈટ, તો એવું બની શકે છે કે દાલમિયા ગ્રુપ લાલ કિલ્લામાં સ્વચ્છતા જાળવે, ત્યાં પીવાનું સ્વચ્છ અને ઠંડું પાણી આપે, ત્યાં સ્વચ્છ શૌચાલય ઉભું કરે કે પછી વૃધ્ધો માટે આરામદાયક ખુરશીઓ મુકે, તેના બદલામાં જગ્યાએ જગ્યાએ પોતાની જાહેરાત મુકે. જો દેશની ધરોહર સ્વચ્છ રહેતી હોય અને તેની મુલાકાતે આવનારાઓની પૂરતી સંભાળ લેવામાં આવતી હોય તો તેને આટલી છૂટ તો મળવી જોઈએ, શું કહો છો?

બીજું, લાલ કિલ્લો જોવા આવનારને નિયત રકમ ચૂકવીને ટીકીટ પણ લેવી પડે છે, તો હવેથી આ આવક દાલમિયા ગ્રુપના ખિસ્સામાં જશે? જી ના, આ તમામ ‘આવક’ દાલમિયા ગ્રુપ લાલ કિલ્લાના રખરખાવમાં જ ફરીથી જોતરી દેશે.

તો લાલ કિલ્લો વેંચાઈ ગયો છે કે કેમ એવો તમારો ડાઉટ ક્લિયર થઇ ગયો? ઓકે, તો ચાલો હવે આ ઘટનાના રાજકીય ગેરલાભો કેવી રીતે લેવાની કોશિશ થઇ અને મોદી સરકાર વિરુદ્ધ માત્ર બુમરાણ મચાવીને આખેઆખા મુદ્દાને કેવી રીતે ભટકાવી દેવાની કોશિશ થઇ અને પછી તે કેવી રીતે મ્હાત થઇ તેના પર એક નાનકડી નજર નાખી દઈએ.

મોદી સરકારના કોઇપણ કાર્યનો આંધળી આખે વિરો